નિવૃત્તિ પહેલાં CJI બી આર ગવઈએ ધર્મને લઈને કેમ કરી આ વાત? જાણો મુખ્ય ન્યાયાધીશનું સંપૂર્ણ નિવેદન

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ભારતના મુખ્ય ન્યાયાધીશનું ધર્મ પર નિવેદન: ‘બહુ ઊંડો અભ્યાસ નથી કર્યો, પણ બધા ધર્મોનું સન્માન કરું છું.’

મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈએ કહ્યું કે તેઓ બૌદ્ધ ધર્મમાં માને છે, પરંતુ કોઈપણ ધર્મનો તેમણે બહુ ઊંડો અભ્યાસ કર્યો નથી.

મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ (CJI BR Gavai) એ કહ્યું છે કે તેઓ ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે, બધા ધર્મોમાં વિશ્વાસ રાખે છે અને બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. CJI બી આર ગવઈએ કહ્યું કે તેમણે આ વસ્તુઓ પોતાના પિતા પાસેથી શીખી છે, જેઓ પોતે એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા અને ડૉ. ભીમરાવ આંબેડકરના સાચા અનુયાયી હતા.

- Advertisement -

લાઇવ લૉના રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશને CJI બી આર ગવઈના રિટાયરમેન્ટ પહેલાં વિદાય સમારંભનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે આ વાતો કહી.

CJI.jpg

- Advertisement -

ધર્મને લઈને CJI ગવઈનું નિવેદન

CJI ગવઈએ કહ્યું, “હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, પરંતુ મેં કોઈપણ ધર્મનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો નથી. હું સંપૂર્ણપણે એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ છું. હું ઇસ્લામ, હિંદુ, બૌદ્ધ, શીખ બધા ધર્મોમાં વિશ્વાસ રાખું છું. મેં આ મારા પિતા પાસેથી શીખ્યું છે.”

તેમણે ઉમેર્યું, “મારા પિતા પણ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા. તેઓ ડૉ. ભીમરાવ આંબેડકરના સાચા અનુયાયી હતા અને મેં બાળપણમાં હંમેશા જોયું છે કે જ્યારે પણ તેઓ રાજકીય કાર્યક્રમોમાં જતા અને તેમના મિત્રો તેમને કહેતા- સર અહીં ચાલો, અહીં બહુ પ્રસિદ્ધ દરગાહ છે, અહીંનું ગુરુદ્વારા પ્રસિદ્ધ છે. તો હું આ રીતે બધા ધર્મોનું સન્માન કરતાં મોટો થયો છું.”

કાર્યકાળ અને નિવૃત્તિ વિશે

જસ્ટિસ બી આર ગવઈએ કહ્યું કે તેઓ 41 વર્ષોની યાત્રાના અંતે સંતોષની ભાવના સાથે 23 નવેમ્બરના રોજ આ પદ છોડશે અને જસ્ટિસ સૂર્યકાંતને જવાબદારી સોંપશે. આ દરમિયાન તેમણે જસ્ટિસ સૂર્યકાંત સાથેના પોતાના શરૂઆતી જીવન વિશે પણ વાત કરી અને કહ્યું કે તેઓ બંને ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે. CJI ગવઈએ જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના અમરાવતીના સેમી-સ્લમ એરિયાની મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યા છે, જ્યારે જસ્ટિસ સૂર્યકાંતે હિસાર્ની સરકારી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

- Advertisement -

CJI1.jpg

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ 23 નવેમ્બરના રોજ CJIના પદ પરથી રિટાયર થઈ રહ્યા છે. તેઓ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ છે, જેમણે 14 મેના રોજ CJIનું પદ સંભાળ્યું હતું. CJI તરીકે તેમનો કાર્યકાળ 6 મહિના 6 દિવસનો રહ્યો છે, જ્યારે તેઓ સાડા 6 વર્ષથી સુપ્રીમ કોર્ટના જજ છે.

નવા CJI જસ્ટિસ સૂર્યકાંત

જસ્ટિસ સૂર્યકાંત તેમના પછી સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ છે, તેથી તેઓ CJIનું પદ સંભાળશે. CJI ગવઈએ જ તેમના નામની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ CJIનું પદ સંભાળશે અને તેઓ લગભગ દોઢ વર્ષ માટે આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી, 2027 સુધીનો છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.