આજે થિરુવનંતપુરમમાં ભારતીય અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં બન્ને ટીમો સિરીઝ જીતવાના ઇરાદે સાથે મેદાન પર ઊતરશે. જોકે વરસાદની શક્યતાને કારણે મેચની મજા બગડી શકે તેમ છે. હવામાન વિભાગે થિરુવનંતપુરમમાં વરસાદની આગાહી કરી છે. તેવામાં આશંકા વ્યક્ત થઈ રહી છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 સિરીઝની જેમ આ સિરીઝની નિર્ણાયક મેચ પણ વરસાદમાં ધોવાઈ ન જાય.
29 વર્ષ બાદ થિરુવનંતપુરમમાં થઇ રહી છે આંતરરાષ્ટ્રિય ક્રિકેટ મેચ
થિરુવનંતપુરમ શહેરમાં છેલ્લે 1988માં વિવિયન રિચર્ડ્સની આગેવાની વાળી વેસ્ટ ઇન્ડીઝ ટીમે ૨૫ જાન્યુઆરી 1988માં મેચ રમી હતી. અહીં 29 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થઈ રહ્યું છે. આ મેચ કેરળમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ હશે જે ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન 2015માં યોજાયેલી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહનું યજમાન બન્યું હતું. મેદાનમાં સુપર સોપર્સ અને અન્ય સુવિધા ઘણીસારી છે. જો મેચ દરમિયાન વરસાદ થાય તો વરસાદ રોકાયાના 10 મિનિટ બાદ મેદાન મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. મેદાનમાં દર્શકોની ક્ષમતા અંદાજે 50,000 છે. સુરક્ષા પણ મજબૂત બનાવાઈ છે.
બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સારો દેખાવ કરતાં 53 રને મેચ જીતી હતી પરંતુ બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ત્રણેય વિભાગમાં સારો દેખાવ કરી ભારતને 40 રને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમને કેચ છોડવા પણ ભારે પડયા હતા જ્યારે ન્યૂઝીલેન્ડે પદાર્પણ કરીર હેલા ઝડપી બોલર સિરાજને નિશાને લીધો હતો. ભુવનેશ્વર અને બુમરાહે પ્રભાવી બોલિંગ કરી હતી તેમ છતાં ન્યૂઝીલેન્ડે 196 રન બનાવ્યા હતા. હવે ટીમ મેનેજમેન્ટ સિરાજને વધુ એક તક આપે છે કે, એક્સ્ટ્રા બેટ્સમેન સાથે ઊતરશે તેના પર નજર રહેશે. જોકે, વિરાટે રાજકોટમાં સ્વીકાર્યું હતું કે, બેટ્સમેનોએ સારો દેખાવકર્યો નહોતો તે જોતાં આ મેચમાં વધુ એ કબેટ્સમેન સામેલ કરાય તેવી શક્યતા છે.