એક સમયે પોલિટીસીયન અને એ પહેલા માફીયા તરીકેની છાપ ધરાવનાર યુપીના અતિક અહેમદની દિવસો સાબરમતી જેલમાં કેદી નંબર 17052 તરીકે વિતી રહ્યા છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત યુપી પોલીસ પણ આગામી સમયમાં વધુ હત્યા કેસ મામલે પૂછપરછ કરી શકે છે. ત્યારે માફીયા આતિક જેલમાં આજીવન સજા કાપી રહ્યો છે તેવામાં જેલમાં ભેંસોને ઝાડુ મારવાનો અને નવડાવવાનું કામ સોંપવામાં આવ્યું હોવાની વિગતો પણ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.
અતીક અહેમદને દોષિત ઠેરવ્યા બાદ તેની સલામતી સુનિશ્ચિત કરવા સાબરમતી જેલના જૂના કમ્પાઉન્ડમાં ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવ્યો છે. જ્યાં હવે દોષિત સાબિત થતા જેલમાં જ રહીને અન્ય કેદીઓની જેમ કામ કરે છે અને તેને વેતન પણ આપવામાં આવે છે.
આ કામો કરી રહ્યો છે અતિક
અતિક અહેમદને તાજેતરમાં જ યુપી કોર્ટ દ્વારા સજા કરવામાં આવી છે. ત્યારે 2019થી જેલમાં બંધ અતિકને અત્યાર સુધી તે બહારનું ભોજન ખાતો હતો, પરંતુ દોષિત કેદી બન્યા બાદ હવે તેને જેલનું ભોજન ખાવું લેવું છે. જેલ મેન્યુઅલ મુજબ સજા પામેલા કેદીઓએ પણ જેલમાં કામ કરવાનું હોય છે. આ અંગે હવે અતીક અહેમદ વિશે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, તે જેલમાં કપડાં ધોવાનું, ભેંસોને નહાવડાવવાનું અને ઝાડુંથી કચરો સાફ કરવા સહીતના કામો કરે છે.
ખાતું ખોલવામાં આવ્યું, ન્યૂનતમ વેતન 70 રુપિયા
પ્રયાગરાજથી પરત ફર્યા બાદ અતીક અહેમદે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ થોડા સમય બાદ તેને જેલના મેન્યુઅલ પ્રમાણે કામ સોંપવામાં આવ્યું છે. એવી પણ વિગતો સામે આવી છે કે, તેને આ કામ માટે રોજનું નક્કી કરાયેલું વેતન મળી રહ્યું છે. તેમનું બેંક ખાતું પણ ખોલવામાં આવ્યું છે. યુપીના આ માફિયાને અકુશળ કેદીની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જેલ મેન્યુઅલમાં દોષિત અકુશળ કેદીનું ન્યૂનતમ વેતન 70 રૂપિયા છે.