દાહોદ આજથી ધો. 10ની બોર્ડની પરિક્ષા શરૂ થઇ છે.. ત્યારે આજે પ્રથમ દિવસે જ બોર્ડનુ પ્રશ્નપત્ર ફૂટી જવાની ઘટના સામે આવી છે.દાહોદની એમ.એન.પી હાઇસ્કુલમાં આજે સવારે નિયત સમય પ્રમાણે સવારે 10 વાગ્યે પરિક્ષા શરૂ થઇ હતી.જો કે આ શાળાના એક રૂમમાં પરિક્ષાના સમય અગાઉ જ પ્રશ્નપત્રની ઝેરોક્ષ નીકળી ગઇ હોવાનુ ખુલવા પામ્યુ છે.
દાહોદની એમ.એન.પી. હાઇસ્કુલમાં સવારે 10 વાગ્યે ધો. 10ની પરિક્ષા શરૂ થઇ હતી.આજે ધો. 10મા ગુજરાતીનુ પેપર હતુ.આ પેપર ફૂટી ગયુ હોવાનુ સામે આવ્યુ છે.પરિક્ષા કેન્દ્રના એક રૂમમાં ઝેરોક્ષ પાસે આજના પેપરના ટૂકડા મળી આવતા પેપર ફૂટી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિક્ષા તેના નિયત સમયે 10 વાગ્યે શરૂ થઇ હતી.જો કે પરિક્ષા કેન્દ્રમાં જે જગ્યાએ પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા હતા.તેની પાસેના રૂમમાં ઝેરોક્ષ મશીન પાસે આજના ગુજરાતી વિષયના પેપરના ટૂકડા મળી આવતા.આજનુ પ્રશ્નપત્ર ફૂટી ગયુ હોવાનુ ખુલવા પામ્યુ છે.
આ ઘટનાની જાણ થતા જ તાત્કાલીક શિક્ષણ વિભાગના અધીકારીઓ હરકતમાં આવી ગયા છે.અને હાલ આ શાળામાં સ્થાનીક મામલતદાર ઘટનાની તપાસ કરી રહ્યા છે.પરંતુ જો પ્રશ્નપત્ર ફૂટી ગયુ હોય.તો આજની પરિક્ષા ફરીથી લેવાશે.. તેવો ખુલાશો પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે જે હવે પ્રશ્ન એ થાય છે. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કેમ આવા ચેડા કરવામાં આવે છે.અને હોશિંયાર વિદ્યાર્થીને આવી ઘટનાથી મોટુ નુકશાન પણ થતુ હોય છે.તો તેના જવાબદાર કોણ.
હાલ તો આ ઘટનાની તપાસ ચાલી રહી છે.ત્યારે આજથી જ શરૂ થતી બોર્ડની પરિક્ષામાં પ્રથમ દિવસે જ પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવવા લાગી છે.ત્યારે આવનાર અન્ય પરિક્ષાઓ માટે શિક્ષણ વિભાગ પ્રશ્નપત્ર ન ફૂટે તે માટે કેવા પગલા ભરશે.તે જોવુ રહ્યુ.