આવતીકાલથી આસો મહિનાની નવરાત્રી શરૂ થવાની છે અને આ નવ દિવસોમાં આદ્યશક્તિના નવ સ્વરૂપોની ભક્તિ-ભાવથી વિધિવિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીની પૂજામાં વાસ્તુનું બહુ મહત્વ છે. ઘટ સ્થાપનથી ળઇને માતાજીની મૂર્તિ કે પ્રતિમાની સ્થાપના અને પૂજાની દિશા પણ તમને પૂજાને સફળ અને ફળદાયી બનાવે છે એવું વાસ્તુ શાસ્ત્રનું મનાનવુ છે. આથી આ વખતે નવરાત્રીમાં તમે પોતાના મંદિર કે પૂજાઘરમાં ધ્યાન રાખીને માતાજીની પૂજા કરો જેથી તમારી પૂજા સફળ થાય અને તમને મનોવાંછિત પ્રાપ્ત થાય. ચાલો જાણો…
ઘટ સ્થાપનના દિવસે કરો આ કામ
નવરાત્રીના પહેલા દિવસે ઘરના મુખ્ય દ્વારે બંને બાજુ કંકુથી સ્વસ્તિક બનાવો અને દરવાજાની ઉપર આસોપાલવ કે આંબાના પાનનું તોરણ બાંધવુ. એટલા માટે કે માતાજી તમારા ઘરમાં પધારામણી કરશે. માનવામાં આવે છે કે, આવું કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસ્ન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ કરે છે.
માતાજીની મૂર્તિનું બાજોઠ ઉપર કરો સ્થાપન
માતાજીની મૂર્તિ કે ફોટો લાકડાના બાજોઠ ઉપર સ્થાપિત કરો. જ્યાં મૂર્તિ કે ફોટોની સ્થાપના કરવાના છો ત્યાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. ત્યારબાદ લાલા નાનાછડી બાંધો અને ચોખા ચઢાવો અને ત્યારબાદત્યાં મૂર્તિની સ્થાપના કરો. પછી વિધિવિધાન સાથે માતાજીની પૂજા-અર્ચના કરો.
અખંડ જ્યોત પ્રગટાવો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો
નવરાત્રીમાં ઘણા લોકો નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવે છે. જો જ્યોતને અગ્નિ દિશામાં રાખશો તે વધારે શુભફળદાયક રહેશે. જો તમારા ઘરે પણ નવરાત્રીમાં માતાજીની અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે તો સાફ-સફાઇ અને સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવો. ક્યારેય પણ નાહ્યા વગર જ્યોતને સ્પર્શવું નહીં.
આ દિશા છે પૂજા માટે સર્વોત્તમ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઇશાન દિશાને પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જો તમે ઘર વર્ષે ઘટ સ્થાપન કરો છો તો તમારે આ દિશામાં કળશ મુકવુ જોઇએ અને માતાજીની ચોકી સજાવવી જોઇએ.
આવું કરવાથી આવશે સમૃદ્ધિ
નવરાત્રી દરમિયાન કણ-કણમાં માતાજીનો વાસ હોય છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ છે કે, એક ચોખા ભરેલો પિત્તળ કે તાંબાનો કળશ તમારા મંદિરના ઉત્તર-પૂર્વમાં રાખવો સમૃદ્ધદાયક બને છે. આવુ કરવાથી ઘરમાં ધન-ધાન્ય અને સંપત્તિની વૃદ્ધિ થશે.
નવરાત્રીમાં કાળા રંગના ઉપયોગથી બચવુ, ખાસ કરીને નવ દિવસો દરમિયાન કાળા રંગના વસ્ત્રો પહેરવા નહીં