પાછલા 6 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત આજે બગડી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા કૌભાંડ થત પેપર લીક કાંડ બાદ ઉપવાસ પર બેસેસા મહેશ સવાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
આપના મહેશ સવાણી અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ અન્ય નેતાઓ અને સમર્થકો સાથે 6 દીવસની અનસન પર બેઠા છે. તેઓની માંગ છે કે હેડકલાર્ક પેપરલીક કાંડ મામલાની જવાબદારી લઈ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન રાજીનામું આપવાની માંગ કરવામાં આવી રહી છે.
વિધાર્થીઓના હીત માટે અનશન પર બેઠેલા પ્રદેશ નેતા શ્રી @maheshsavani9 જીનું સુગર ઘટતા ડોક્ટર સલાહ મુજબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
યુવાનોને ન્યાય આપો…! pic.twitter.com/5X58nNN7Kn
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) December 27, 2021
વારંવાર પેપર લીક થતાં હોવાથી ઉમેદવારોને 50નું વળતર આપવામાં આવે અને સાત દિવસ પહેલા કમલમમાં થયેલા ઘર્ષણ બાદ આપ નેતાઓ પર કરેલી ફરિયાદોને પાછી ખેચી તેમને જેલ મુક્ત કરવામાં આવે. અન્ય અેક માગણીને લઈ આપ નેતા મહેશ સવાણી ભૂખ હડતાળ પર બેઠા હતા જ્યાં આજે સાંજે મહેશ સવાણીની તબિયત બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રવિવારે પેપર લીક કાંડ બાદ ઉપવાસ પર બેઠેલા નેતાઓની મુલાકાતે અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા ઉપવાસી છાવણી પર પહોચ્યા હતા.આપનાં પ્રદેશ કાર્યાલય પર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુલાકાત લેતા નવી ચર્ચા જાગી હતી. આપનાં પ્રદેશ કાર્યાલય પર પહોચેલા વિપક્ષના પૂર્વ નેતાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે, આ સરકારમાં ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ગોટાળાનો અડ્ડો બની ગયું છે. સરકારના વહાલા-દવલાની નીતિના કારણે લાખો રૂપિયા ખર્ચીને ભણેલા-ગણેલા યુવાનો નોકરી માટે દર-દર ભટકે છે. યુવાઓની આશા-અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યાં છે. રાજ્યમાં ધંધા રોજગાર ભાંગીને ભુક્કો થઇ ગયા છે.ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. બેરોજગારી ભરડો લઇ ગઈ છે.