ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી એપ્રિલે રાત્રે નવ કલાકે આખા દેશમાં દીવા સળગાવવાનું કેમ નક્કી કર્યું તેની પાછળ સાયન્ટિફિક કારણ છે. આ કારણ ખગોળ વિજ્ઞાન આધારિત છે. આપણે વિચારીએ કે દીવો સળગાવવાથી શું થાય પરંતુ તે બ્રહ્માંડની શક્તિઓને ખેંચે છે અને મહામારીના પ્રભાવને ઓછો કરે છે.
રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાનાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય. હજારો વર્ષો પછી ક્યારેક જ એવી ઘટના બને કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે.
જ્યારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શક્તિઓનો પ્રભાવ વધશે. તેમજ જ્યાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શક્તિઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે.
હાવર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક “the sky and beyond” માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે. ખાસ તો 50 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે.
બીજું કે આપણાં હિન્દુ પંચાગોમાં ઘી ના ગુણ લખ્યા છે કે ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા ઉપર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમાં આ વાતની પુષ્ટિ કરી છે. રવિવારે રાતે નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પણ ઘટાડી શકાશે અને દીવો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ધ બનાવી શકાશે.