આખું વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડત આપી રહ્યું છે ત્યારે ભારત માં લોકડાઉન ની સ્થિતિ વચ્ચે સામાન્ય જન જીવન ખોરવાઈ ગયું છે. કોરોના વાઇરસ સંદર્ભે તકેદારી માટે સૌ શહેરી જનો એ હાલ પુરતું ઘરમાં રહેવું જ એ આવશ્યક થઈ પડ્યું છે ત્યારે સનાતન ધર્મ ની ધરોહર એવાં દરેક સમાજની સાથે રહી સારાં નરસાં પ્રસંગો માં જન્મ થી માંડી ને મરણ સુધી નાં સંસ્કારોમાં પડખે ઉભા રહી શાસ્ત્રોક્ત રીતે ધર્મ ની સાચવણી કરનાર કર્મકાંડ નેં લગતાં બ્રાહ્મણો જે રોજ ની જે કાંઈ આવક થાય તે આવક ઉપર જ જેમનું ગુજરાન ચાલતું હોય તેવા બ્રાહ્મણ ની હાલત ખરેખર કફોડી બની છે. પહેલા હોળાષ્ટક હતાં ત્યારબાદ કમુરતા આવ્યા અને હવે લોકડાઉન આવ્યું એટલે સ્થિતિ એવી થઈ કે સારાં નરસાં બધાંજ પ્રસંગો બંધ થઈ ગયા.
બ્રાહ્મણો તો રોજ ની જે કાંઈ આવક થાય તેની ઉપર જ નભતાં હોય છે અત્યાર ની એવી સ્થિતિ બ્રાહ્મણો ની થઈ પડી કે સારાં નરસાં કાંઈ પણ કાર્યો છે નહીં એટલે જે બ્રાહ્મણોમાં નબળું કર્મકાંડી વર્ગ છે તેમને રાશન પાણીની પણ તકલીફ પડી રહી છે. એમને કાંઈ કોઈ પુછનાર પણ નથી અને જે કોઇ કાર્ડ ધરાવતા હોય તેમા પણ આ બ્રાહ્મણ નો સમાવેશ થતો નથી. બ્રાહ્મણ જ્ઞાતિ ના જ બની બેઠેલા નેતાઓ પણ કોઈ ખબર પુછતા નથી અને વળી પાછી આ બ્રાહ્મણ ની અયાચક વૃત્તિ હોય કે જે કોઈ ની પાસે માંગી શકે નહીં કોઈ ને કહીં શકે નહિ રોજ નું રોજ કમાતાં લોકો માટે જે સહાય સરકાર તરફથી આપવામાં આવતી હોય તેમા બ્રાહ્મણો નો પણ સમાવેશ થાય તેવી માગણી છે.
આ લોકડાઉન પુર્ણ થયા પછી પણ આગળ વધતાં સમયમાં મહિના ઓ સુધી બ્રાહ્મણ ની પૂજા વિધિ નું કાર્ય ટોટલ બંધ હોય તેમ દ્રશ્યમાન થઈ રહ્યું છે. કારણ કે અત્યાર ની આર્થિક સંકડામણ ની સ્થિતિ જોતાં ચોક્કસ નક્કી થાય કે કોઈ ની પાસે પોતાની જીવન જરૂરિયાત કરતાં કંઈક પૈસા બચશે તો બ્રાહ્મણ પાસે પુજા, વિધિ, દાન,ધર્મ સંસ્કાર નાં કાર્યો કરાવશે. નહિં તો પછી રાહ જોવા નો વારો આવશે.