ગુજરાતની સરકારી શાળાઓને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યપ્રધાન પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ગુજરાતમાં સરકારી શાળાઓ સતત બંધ થઈ રહી છે. બાકીની શાળાઓમાં શિક્ષકો, પાણી અને શૌચાલય પણ નથી. રાજકારણીઓની ખાનગી શાળાઓ જનતાને લૂંટી શકે તે માટે સરકારી શાળાઓ બરબાદ કરવામાં આવી રહી છે. ગુજરાતને પણ દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિની જરૂર છે.’
गुजरात में सरकारी स्कूल लगातार बंद हो रहे हैं। बाकी स्कूलों में टीचर, पानी और शौचालय तक नहीं हैं। नेताओं के प्राइवेट स्कूल जनता को लूट सकें इसलिए सरकारी स्कूलों को बर्बाद किया जाता है।
गुजरात में भी दिल्ली जैसी शिक्षा क्रांति की ज़रूरत है। pic.twitter.com/h3kFer3Ua6
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 13, 2021
અરવિંદ કેજરીવાલે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પણ વાત કરી. તેમણે કહ્યું કે, ઓમિક્રોનના સંકટને પહોંચી વળવા માટે તૈયાર છે. જો જરૂરી થશે તો અમે જરૂરી પ્રતિબંધો લગાવીશું. અત્યારે કોઈપણ પ્રતિબંધ લગાવવાની જરૂર નથી. સ્કૂલોને ફરીથી ખોલવાનો નિર્ણય સ્કૂલોની શિયાળુ રજાઓ ખત્મ થયા બાદ લેવામાં આવશે. તો દિલ્હીમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધી 2 કેસ સામે આવી ચૂક્યા છે.