નવરાત્રિની સમાપ્તી થઇ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે ખૈલેયાઓને થાક લાગવાનો.એ સિવાય નવરાત્રિ પછી ત્વચા કે હેરમાં પણ નાની મોટી સમસ્યા ઉભી થતી હોવાના ઘણાં બનાવો આપણે સાંભળતા હોઇએ છીએ.અહીં નવરાત્રિનો થાક ઉતારવાની ટીપ્સ આપવામાં આવી છે.
નવરાત્રીમાં પાર્ટી પ્લોટોમાં ફ્લશ લાઇટથી આંખો થાકી જતી હોય છે.આવી થાકેલી આંખો માટે બે ગ્રીન ટી બેગ્સને ઠંડા પાણીમાં બોળી રાખો. પછી એ પાણીમાં બટાકાનો રસ અને એલોવેરા જેલ ભેળવીને આંખ પર એ ટી બેગ્સને પાંચથી દસ મીનીટ મૂકી રાખો.આ પાણી બેથી ત્રણ દિવસ ઉપયોગમાં લઈ શકાય.આવું કરવાથી રીઝલ્ટ મળશે.
નવરાત્રિમાં પગનો થાક દૂર કરવા અને તેની સુંદરતા વધારવા પાર્લરમાં જઈ પેડીક્યોર કરાવવું. ઘરે પગનો થાક ઊતારવા માટે તેમજ પગના તળિયામાં જો બળતરા થતી હોય તો એક નાના ટબમાં છાશ લઈ તેમાં થોડું પાણી મીક્સ કરી થોડીવાર પગ તેમાં બોળી રાખવા. બળતરા જરૂર ઓછી થશે.
ઓલિવ ઓઈલ કે કોકોનટ ઓઈલને હૂંકાળુ ગરમ કરી તેનાથી પગ પર માલીશ કરવાથી થાક ઉતરી જશે. ઉપરાંત પગની સ્કીન સુંવાળી અને ચમકીલી બનશે.