Health Tips: તુલસીના છોડનું આપણી સંસ્કૃતિમાં ઘણું મહત્વ છે.આપણે તેની પૂજા કરીએ છીએ અને ખાવામાં પણ તેનો ઉપયોગ કરીએ છીએ. આયુર્વેદમાં તુલસીના છોડને જડીબુટ્ટી તરીકે જોવામાં આવે છે.તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તુલસીનો રોજ ઉપયોગ કરવાથી આપણને શરીરમાં ઘણા ફાયદાકારક ગુણો મળે છે.તુલસીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.આવી સ્થિતિમાં દરરોજ સવારે ખાલી પેટ તેના પાન ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો, તો તુલસીના પાન તમને આમાં મદદ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે તુલસીમાં વિટામિન સી અને ઝિંક મળી આવે છે.તેના પાંદડામાં રહેલા સિનોલ અને યુજેનોલ શરદીથી બચાવવામાં મદદ કરે છે.
આ સિવાય સૌથી મોટી વાત એ છે કે તુલસીમાં રહેલા ફાઈટોકેમિકલ્સમાં મજબૂત એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ રીતે, તે ત્વચા, યકૃત, મોં અને ફેફસાના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.