થર્ટી ફર્સ્ટ પહેલાં દીવ બોર્ડર પર પોલીસનું કડક ચેકિંગ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

દારૂ અને અકસ્માત અટકાવવા દીવ બોર્ડર પર સઘન બંદોબસ્ત

થર્ટી ફસ્ટને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાને સંઘપ્રદેશ દીવ સાથે જોડતી તમામ બોર્ડર ચેક પોસ્ટો પર જિલ્લા પોલીસે કડક વ્યવસ્થા ગોઠવી છે. દિવસ અને રાત સતત ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને નવા વર્ષની ઉજવણી માટે દીવ જતા અને ત્યાંથી પરત ફરતા વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા દરેક શંકાસ્પદ વાહનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અટકાવવા ખાસ કાર્યવાહી

ભૂતકાળમાં દીવથી નશો કરીને નીકળતા પ્રવાસીઓના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે જિલ્લા પોલીસે સઘન યોજના અમલમાં મૂકી છે. દીવને જોડતા મુખ્ય હાઈવે પર માઉથ એલાઈઝર સહિતના સાધનો સાથે પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઝડપાયેલા ચાલકો સામે કડક કાર્યવાહી થશે.

Diu Border Police Checking 2025 1.png

- Advertisement -

નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓનો ધસારો

દર વર્ષે થર્ટી ફર્સ્ટના દિવસે દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે. દારૂ અને સંગીત સાથે ઉજવણી કરતા સહેલાણીઓ રાત્રે મોડે ગુજરાત તરફ પરત ફરે છે. આવી સ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લામાં અકસ્માતની શક્યતા વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

દારૂની હેરાફેરી રોકવા બાજ નજર

દીવમાંથી ગીર સોમનાથ તથા અન્ય વિસ્તારોમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો પણ અગાઉ નોંધાયા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઉના તડ અને માંડવી ચેક પોસ્ટ પર વિશેષ પોલીસ દળ તૈનાત કરાયું છે. દરેક વાહનની ઝીણી તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે બુટલેગરોમાં ગભરાટ ફેલાયો છે.

- Advertisement -

Diu Border Police Checking 2025 2.png

સામાન્ય દિવસોમાં પણ રહે છે જોખમ

દીવ નજીક હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય દિવસોમાં પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ સામે આવે છે. અનેક વખત ગંભીર અકસ્માતોમાં જાનહાનિ પણ થઈ છે. આથી પોલીસ ઠંડીની પરવા કર્યા વગર રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહી છે. જનસુરક્ષા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.

31 ડિસેમ્બર સુધી ખાસ પોલીસ ટીમ ફરજ પર

આ વિશેષ બંદોબસ્ત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઉના ડીવાયએસપી દ્વારા અમલમાં મૂકાયો છે. નવાબંદર ઇન્ચાર્જ પીએસઆઈ સહિત પોલીસ જવાનો અને જી.આર.ડી.ના કુલ 26 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર સુધી સતત પેટ્રોલિંગ અને ચેકિંગ રહેશે. દારૂ પીધેલી હાલતમાં કે હેરાફેરી કરતા ઝડપાયેલા સામે કાયદેસરની કાર્યવાહી થશે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.