સામગ્રી
200 ગ્રામ રાજગરાનો લોટ
100 ગ્રામ ખાંડ
50 ગ્રામ માવો (ઘીમાં શેકેલો)
50 ગ્રામ શિંગોડાનો લોટ
2 ટેબલસ્પૂન ખજૂરની પેસ્ટ
2 કપ દૂધ
1 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
1 ટેબલસ્પન એલચી-જાયફળનો ભૂકો, ઘી
બનાવવાની રીત
એક વાસણમાં ઘી મૂકી, તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ શેકી લો. આ લોટ બદામી થાય એટલે તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરો. ઘટ્ટ થાય એટલે શેકેલો માવો, ખજૂરની પેસ્ટ, ખમણેલું નાળિયેર, કાજુ-એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી શીરાને ગેસ પરથી ઉતારી લો. ત્યારબાદ એક બાઉલમાં શિરો લઈને તેના પર કેસર, કાજુ અને બદામથી ગાર્નિશિંગ કરીને પીરસો.