રાજ્ય માં વધી રહેલા કોરોના ના કેસ વચ્ચે ગાંધીનગર સચિવાલય માં એકસાથે પાંચ અધિકારીઓ કોરોના પોઝીટિવ આવ્યા હોવાના અહેવાલ છે અને પ્રધાન મંડળ ની આજે મળનારી બેઠક રદ કરી દેવામાં આવી છે
ગુજરાત માં સચિવાલયમાં પણ કોરોના એ સત્તાવાર એન્ટ્રી કરી છે અને આજે એક સાથે પાંચ અધિકારીઓ કોરોના પોઝીટીવ આવતા ગુજરાત સરકારના પ્રધાનમંડળની આજે બુધવારે મળનારી બેઠક રદ કરી દેવામાં આવી છે.
વાયબ્રન્ટ સમીટ સાથે સંકળાયેલા સ્વર્ણિમ સંકુલ સરકારના સિનિયર અધિકારીઓ કોરોનાગ્રસ્ત બનતા ભારે ચિંતા પ્રસરી છે.
આજે કોરોના પોઝીટિવ આવેલા અધિકારીઓમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિત આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપરાંત રાજકુમાર બેનિવાલ, જે.પી.ગુપ્તા અને હારિત શુક્લા પણ કોરોના પોઝિટિવ થયા છે.
ગુજરાતમાં એક તરફ વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઇ રહી છે અને કેબિનેટ મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે ત્યારે અધિકારીઓમાં કોરોનાનોપગપેસારો થતા ચિંતા પ્રસરી છે. સચિવાલયમાં હાલ મોટી સંખ્યા માં મુલાકાતીઓ આવી રહયા છે,ત્યારે હવે સચિવાલય માં પણ કોરોના આવતા ફફડાટ જોવા મળી રહ્યો છે.