રાજ્યની 5 જેલના જેલર સામે કાર્યવાહી કરાતા બદલીઓ થઈ શકે છે. 5થી વધુ જેલોના જેલરોની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. દરોડા પાછળનો હેતુ જેલમાં ચાલતા ગેરકાયદેસર કામને પ્રકાશમાં લાવવાનો હતો. એક સાથે અગાઉ અચાનક રાત્રે 17 જેલમાં અચાનક જ ગુજરાત પોલીસના 1700 કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સીએમ અને ગૃહ મંત્રીએ પણ આ કામગિરી નિહાળી હતી. રીપોર્ટ પણ સીએમને સોંપાયો હતો.
ગૃહ વિભાગ દ્વારા મિશન જેલ સફાઈ અંતર્ગત કડક પગલા લેવાશે
અગાઉ પોલીસે જેલોમાં પાડ્યા હતા દરોડા
17 જેલોમાં કરાઈ હતી કાર્યવાહી
માદક પદાર્થો, મોબાઈલ પકડાયા હતા
ગુજરાતી જેલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન અગાઉ હાથ ધર્યું હતું.. આ સર્ચ ઓપરેશનમાં તમામ ગતિવિધીઓ પર નજર રાખવામાં આવતા મોબાઈલ સહીતની સામગ્રીઓ માદક પદાર્થ વગેરે ઝડપી પાડવામાં આવ્યા હતા. અગાઉ અચનાક જ જ હર્ષ સંઘવીએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી ત્યાર બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતની 17 જેલોમાંપોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેલમાં રહેતા વ્યવસ્થાપન કઈ રીતે જળવાઈ રહ્યું છે. નિયમો જળવાય છે કે કેમ તે પણ ચકાસવામાં આ દરમિયાન આવ્યું હતું.
ગૃહ વિભાગ દ્વારા મિશન જેલ સફાઈ અંતર્ગત કડક પગલા લેવાશે. રાજ્યના તમામ જેલોમાં ઓપરેશન બાદ રાજ્યસરકાર દ્વારા પગલા લેવામાં આવશે. તપાસ દરમિયાન જે જેલોમાં ગેરકાયદે મુદ્દામાલ પકડાયો ત્યાંના જેલરો સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી હોય તેવી જેલોના જેલરોની બદલી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર, મહેસાણા, ભાવનગર અને બનાસકાઠા સહિતની તમામ જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની જેલમાં અતિક અહેમદ સહીતના માફીયાઓ પણ છે ત્યારે અન્ય જેલોમાં પણ સજા કાપી રહેલા કેદીઓ છે.