ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા તાલુકાનાં તેમજ વેરાવળ તાલુકાના સિંચાઇ નીચે આવતા કમાન્ડ એરિયાના ગામોના ખેડૂતોને સિંચાઇ કરવા માટે હિરણ ડેમ 1 અને 2 સિંચાઇ યોજનાઓમાથી આ ચાલુ વષેઁ ખેડૂતોના ભાગે આવતા જથ્થાનું પિયત કરવા માટે સિંચાઇ યોજનાઓના લગત અધિકારીઓ તેમજ ખેડૂતો પાસેથી 26-10 ના રોજ થયેલ નિણઁય મૂજબ અમલવારી કરવા માટે સિંચાઇ વિભાગે ખેડૂતો પાસેથી પિયત અને ઇરીગેશન ના ફોર્મ ભરી જરુરી ફી પણ વસુલ કરેલ છે.અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડઁ ગાંધીનગર ના પત્ર મૂજબ 15-2 થી ખેતીવાડી માટે સિંચાઇ નુ પાણી નહી આપવા જણાવેલ જેથી 26 ગામના ખેડૂતોએ હજજારોની સંખ્યામાં 10 દિવસ પહેલા કલેકટરને આવેદનપત્ર આપી હકારાત્મક નિણઁય લેવા રજૂઆત કરી હતી જેને આજે 10 દિવસ બાદ કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતા જીલ્લા કલેકટર કચેરી સામે હજજારો ની સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી ધરણા કરેલ છે અને આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.