[slideshow_deploy id=’34823′] સોમનાથ વિશ્વનુ પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથથી દોઢ કીમી દુર આવેલા પ્રભાસ ક્ષેત્રમાં ભાગવાન શ્રી કૃષ્ણએ પોતાની મનુષ્ય લીલા સંકેલીને સ્વધામ પ્રધાર્યા હતા.તે હીરણ નદીને કિનારે હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોક ધામ મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
હિન્દુ શાસ્ત્ર શ્રીમદ ભાગવત મુજબ ઇ.સ પૂર્વે 3102ના 18 ફેબ્રુઆરીને શુક્રવારના દિવસે બપોરે ભગવાન શ્રી કૃષ્ણ, પ્રભાસ ક્ષેત્રના હીરણ નદિના કિનારે પોતાની માનુષી લીલા પૂર્ણ કરીને સ્વધામ પર્ધાર્યા હતા. આજે પણ આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ચિન્હ છે.પ્રભાસના આ ક્ષેત્રમાં શ્રધ્ધાળુઓ દર્શન અર્થે આવે છે.ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જગ્યાએ હવે ગોલોક ધામ મંદિર બનાવાઇ રહ્યુ છે.આજે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઇ પટેલ દ્વારા ગોલોક ધામ મંદિરનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે.