[slideshow_deploy id=’39660′] ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ આજથી ગીરની કેસર કેરીનો પણ પ્રારંભ થઇ ચુકયો છે.ત્યારે તાલાલા માકેઁટીંગ યાડઁ મા કેસર કેરીની હરરાજીનો વિધિવત પ્રારંભ થઇ ચુકયો છે.ગીરમા એશીયાન્ટીક સિહો ની સાથે ગીરની કેસર કેરી પણ જગવિખ્યાત બની છે .ફળોનો રાજા કહેવાતી કેસર કેરીનું નામ સાંભળતા ની સાથે જ મો મા પાણી આવી જાય છે .એમાય ગીરની કેસર કેરીનો સ્વાદ અને મીઠાસ તો અનોખો છે. આમ તો થોડા સમયથી માકેટમા કેસર કેરીનું આગમન થઇ ચુકયુ હતુ પરંતુ આજરોજ તાલાલા માકેઁટીંગ યાડઁ ના ચેરમેન કિરીટ પટેલ દ્રારા વિધિવત રીબીનકાપી ને હરરાજીનો પ્રારંભ કરાવ્યો છે. આજના પહેલા દિવસે જ અંદાજીત આઠ થી દશ હજાર જેટલા કેરીના બોક્ષની આવક થયેલ છે જેનો ભાવ 500 થી 650 સુધીનો રહ્યો હતો. આ વખતની સીઝનમાં વાતાવરણના મારને કારણે 65% જેટલી કેરી માકેઁટ મા આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે પરંતુ ભાવ સારા મળવાથી ખેડૂતો અને વેપારીઓ મા આનંદની લાગણી જોવા મળી હતી . કેસર કેરીની હરરાજીનો આજથી પ્રારંભ થતા માકેઁટીંગ યાડઁ ધમધમતુ થયુ છે અને વેપારીઓ, દલાલો, મજૂરો , હોટલો , ટ્રાન્સપોર્ટરો સહીત તમામને રોજગારીની તકો પણ ખુલ્લી છે. આ વષેઁ ગત વષઁ ની સરખામણીમાં 2 થી 3 લાખ કેરીના બોક્ષની આવક ઘટશે તેવુ અનુમાન વેપારીઓ લગાડી રહ્યા છે.
કેસર કેરીની હરરાજીનો પ્રારંભ થતા જ આજરોજ 10,000 જેટલા બોક્ષની આવક થયેલ છે જેમા 500 થી 650 જેટલો ભાવ રહ્યો છે .ગીરની આ કેસર કેરી તાલાલા ઉપરાંત રાજકોટ , અમદાવાદ , સૂરત , અમદાવાદ સહીત અન્ય રાજ્યોમાં પણ જાય છે અને એપીએમસી દ્રારા શરુ કરવામા આવેલ મેંગો યુનિટ થી વિદેશોમાં પણ કેસર કેરીની નિકાસ કરવામા આવે છે .
ગત વષેઁ કેસર કેરીના બોક્ષની આવક 10,67,000 જેટલી રહી હતી ત્યારે આ વષેઁ 30% જેટલો પાક ગ્લોબલ વોર્મિંગ ના કારણે નિષ્ફળ જતા 65% જેટલો કેસર કેરી માકેઁટ મા આવશે .એટલે કે સાત થી આઠ લાખ જેટલી આવક થવાની શક્યતા છે. તાલાલા માકેઁટીંગ યાડઁ મા ચારથી પાંચ તાલુકાઓની કેરી ની આવક થાય છે પરંતુ નિકાસ દરેક જીલ્લાઓ મા તથા વિદેશોમાં પણ થઇ રહી છે. મેંગો પેટહાઉસ માથી કેસર કેરી યુરોપ , અમેરીકા જેવા વિદેશોમાં પણ જઇ રહેલ છે.