ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે ક્યારનીય તૈયારીઓ શરૂ કરી દિધી છે અને બીજી તરફ કોંગ્રેસે પણ ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપી છે અને આજે તેઓ ચાર્જ સંભાળવાના હતા પણ આજે ચાર્જ સંભાળવાનું તેઓએ મુલતવી રાખ્યું હતુ અને આવતીકાલે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે.
શક્તિસિંહે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી,આજે તે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે તેવું નક્કી હતું પરતું છેલ્લી ઘડીએ આજે ચાર્જ સાંભળવાનું શક્તિસિંહ ગોહિલે મુલતવી રાખ્યું હતું.
આજે 18 જુનને રવિવારે સવારે 10 વાગ્યાનો ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો.
આજે રવિવારે સવારે 10 કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં કરી હતી.
ભાવનગરના કોંગ્રેસના નેતા અને પક્ષના રાષ્ટ્રીય આગેવાન શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે જવાબદારી સોંપવામાં આવી છે.
આજે શક્તિસિંહ ગોહિલ ગાંધી આશ્રમ પહોંચીને અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, સીધા પ્રદેશ કાર્યલય રવાના થવાના હતા અને કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળવાના હતા. જોકે આજે અમાસ હોવાના કારણે આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, કેમ કે આજે અમાસનો (18 જુન, 2023) દિવસ છે. હવે શક્તિસિંહ ગોહિલ આવતીકાલે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને પોતાનો પદભાર સંભાળશે.