રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે બપોરે 1.19 કલાકે કચ્છમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ભૂકંપનુ કેન્દ્રબિંદુ કચ્છ થી 13 કિમી દૂર આવેલા ફતેહગઢમાં નોંધાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષથી કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે જે અંગે કચ્છ યૂનિવર્સિટીના તજજ્ઞોના જણાવ્યા અનુસાર કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાતા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.