રાજ્યમાં વાવાઝોડા અગાઉ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે આકાશમાં વાદળો જોવા મળી રહયા છે,દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
હાલમાં ગુજરાતના કાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડાની સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ દરિયામાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે એક અને બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે તેવી શકયતા જોતા તંત્ર એલર્ટ છે આજે તા. 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કાંઠા વિસ્તારમાં પણ 70 કિ.મી. સુધીની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે જ ચોમાસુ 15મી જૂન સુધી મોડું પડવાની આગાહી થઈ છે.