ગુજરાતમાં વાવઝોડું ફૂંકાવાની શકયતા વચ્ચે તેની ગંભીરતા સમજી હવે રાજ્ય સરકાર હરકતમાં આવી છે,દરમિયાન વાવાઝોડા અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે CM વિડિયો કોન્ફરન્સ કરશે. તેમજ તેની બાદ બપોરે 2 વાગે મંત્રી ઋષિકેશ પટેલ બેઠક યોજાશે. જેમાં તેવો તમામ જિલ્લા કલેકટર સાથે ઋષિકેશ પટેલ વિડિયો કોન્ફરન્સ કરી આગામી સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.
આ સિવાયઆજે સાંજે 4 કલાકે પણ વેધરવોચ કમિટીની બેઠક યોજાશે જેમાં મહેસુલ સચિવ, NDRF,SDRF,હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે, જેમાં સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી તેમજ બેઠકમાં ઝીરો કેઝ્યુલિટીના ટાર્ગેટ સાથે સંપૂર્ણ આયોજન કરવા અંગે ચર્ચા થશે.
લો- ડ્રીપ્રેશનને લઈ દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો- ડ્રીપ્રેશન ઉપર તંત્ર નજર રાખી રહ્યું છે.