ગુજરાત માં સોમવાર થી દિવસે પણ સંભવિત કરફ્યૂ ની વાત સામે ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને લોકો સોસિયલ સાઇટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બજારો ચાલુ રાખવા માંગ કરી રહયા છે.કોરોના ની સ્થિતિ વિકટ બનતા હવે ફરી દિવસે પણ આંશિક બંધ ના અમલ ની સંભવિત ચર્ચા માત્ર થી વેપારીઓ માં રોષ ઉભો થતા હવે સરકાર આગામી શુ પગલાં ભરશે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.લોકો કહે છે ત્રણ મહિના ના લોકડાઉન માં બરબાદ થઈ ગયા તેની હજુ કળ વળી નથી તો હવે ઘર માં પુરાઈ જવું પસંદ નથી.
સોમવારે સવારે 6 વાગે અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યુની અવધી પુર્ણ થઈ રહી છે તેવે વખતે કર્ફ્યુને વધારવો કે મુક્તિ આપવી તે અંગેનો નિર્ણય આજે સાંજે 6 વાગે મળનારી રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવામાં આવે ત્યારે આ બધી બાબતો ઉપર પણ ચર્ચા થશે. દિવાળી બાદ લાભ પાંચમ થી હજુતો ધંધા શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં કોરોના નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જતા કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે સંજોગોમાં કર્ફ્યુ અંગેનો આખરી નિર્ણય આજે સાંજે લેવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યુ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવા અંગે સરકાર પણ આ સ્થિતિમાં શુ કરવું તે અંગે મુંજવણ માં છે કેમ કે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે શરૂ થઈ રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યુ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ વચ્ચે વેપારીઓ માં ઉગ્ર વિરોધ ઉઠતા હવે શું નિર્ણય લેવાશે તેતો સમય જ કહેશે આજે આવેલી દિવસ ના કરફ્યૂ ની વાત માત્ર થી લોકો સોસિયલ મીડિયા માં પોતાની પ્રતિક્રિયા આપી રહયા છે અને એક તો કામ ધંધા વગર ઘરમાં રહેવાનું અને બહાર નીકળો તો દંડ વાળી વાત સામે નારાજગી જાહેર કરી રહ્યા છે ત્યારે હવે સરકાર માટે શું નક્કી કરવું તે વાત પડકાર જનક હશે.
Tuesday, May 7