બનાસકાંઠાના કોરેટી ગામના તળાવમાં અચાનક જ પાણીનો કલર બદલાઈ જતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે અને આવા ફેરફાર પાછળ શુ કારણ જવાબદાર છે તે અંગે કોઈ ફોડ નહિ પડતા લોકોમાં ગભરાટ પણ જોવા મળ્યો હતો.
તળાવના પાણીનો રંગ બદલાઈને ગુલાબી થઈ ગયો છે, પાણીના આ રંગ બદલાવવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
પાણીમાં કોઈએ કેમિકલ છોડ્યું છે કે કેમ? પાણીનો કલર બદલાઇને ગુલાબી થઈ જવાના કારણની ખબર નહિ પડતા લોકોમાં મુંઝવણ વધી છે આ તળાવના કલરફુલ પાણીનો વિડીયો અને ફોટા વાયરલ થઈ રહયા છે જેથી આસપાસના ગામોમાં પણ આ મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે અને સાચું કારણ બહાર આવે તેવી લોકો માંગ કરી રહયા છે.