પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ વધી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ અસર થવાની શક્યતાઓ વચ્ચે લોકોને અગાઉથી જ સાવચેત કરાતા અનેક લોકો સ્થળાંતર કરી ગયા છે.
સાયકલોન વધુ આક્રમક બનવાની સંભાવના બનવા સાથે 15 જૂને માંડવીથી કરાચી વચ્ચે આ વાવાઝોડું ટકરાશે.
જખૌથી 125થી 135 પ્રતિ કલાકની ગતિથી તે પસાર થવાનું હોય ખુબજ ટેંશન ઉભું થયું છે.
બિપોરજોય વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર સતત મોનેટરિંગ કરી રહ્યું છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહપ્રધાન અમિત શાહ આ મુદ્દે બેઠક કરશે. બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક . ત્યારે આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ જોડાશે. 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.
દરમિયાન અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપરજોય વાવાઝોડું ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.
વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.