રાજ્યના ભરૂચ, જંબુસર માંથી મીઠા ભરેલી ઓવરલોડ ટ્રકો તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ પસાર થઈ રહી છે જેનું રીયાલીટી ચેક કરવા સત્યડે ની ટીમ સ્થળ ઉપર પહોંચી તો આ વાત એકદમ સાચી સાબિત થઈ હતી અને સત્યડે ની ટીમે ઓવરલોડ મીઠું ભરેલી જણાતી ટ્રક જ્યારે રોકીને ચેક કર્યું તો ટ્રક ડ્રાઇવર પાસે કોઈ કાગળો મળ્યા ન હતા પરિણામે આ અંગે જ્યારે આર.ટી.ઓ.અધિકારી પંચાલ સાથે વાત કરતા તેઓએ પત્રકાર ને ઉડાઉ જવાબ આપી ઉદ્ધતાઈ ભરી વાત કરવામાં આવી હતી અને આર.ટી.ઓ. અધિકારી પંચાલે સત્ય ડે ન્યૂઝના પત્રકારને કહ્યુ કે અમોને સમય મળશે ત્યારે આવીશું ! તમે ગાડી પકડી છે તો જાતેજ પોલીસ સ્ટેશન લઈ જાવ.
વિચારો આ જવાબદાર વિભાગના અધિકારીજ જો મીડિયા સાથે આવી વાત કરતા હોય તો સામાન્ય માણસ ની ફરિયાદ કોણ સાંભળે તે સવાલ ઉભો થાય છે અને એક સરકારી અધિકારી ને ન શોભે તેવો તેઓનો જવાબ સાંભળી સત્યડે ની ટીમ ચોંકી ઉઠી હતી.
ત્યારબાદ ભરૂચ જિલ્લા એસ.પી.લીના પાટીલને આ અંગે જાણ કરતા તેઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસને સૂચના આપતા 2 થી અઢી કલાક બાદ પીએસઆઇ પરમાર સ્થળ ઉપર આવ્યા હતા.
સત્યડેને જનતા ની ફરિયાદો મળતા સત્યડે ની ટીમ અહીં આવી હતી અને ટ્રક જાતેજ રોકી રીયાલિટી ચેક કરતા આ ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે સબંધિત વિભાગજ આ મામલે ઢીલું વલણ અપનાવતો હોવાનું સામે આવ્યુ છે જેમાં વહીવટી થતો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે.
અહીં મીઠું રોડ પર ઢોળાય છેજેને લઈ વાહન ચાલકો રાહદારીઓ તથા રસ્તાઓને નુકસાન કરતું હોય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તે દેખાઈ આવે છે કારણકે ઓવરલોડ ટ્રકો તેમના નાક નીચેથી પસાર થાય છે.
ભરૂચ-જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં મોટા પ્રમાણમાં મીઠા ઉદ્યોગ વિકાસ પામ્યો છે અને મીઠા ઉદ્યોગનુ હબ ગણાય છે.મીઠાના અગરો માંથી મીઠું ભરી રસ્તાઓ પરથી પસાર થતી ઓવરલોડ ઢાંક્યા ટ્રાકોને કારણે આ રોડ પર મોટા પ્રમાણમાં મીઠું ઢોળાય છે.આ ઢોળાયેલા મીઠાના કારણે વાહનચાલકોને મુશ્કેલી માં મુકે છે અકસ્માતોના બનાવો બને છે તાજેતરમાંજ એક મહિલાને અકસ્માત થતા સિવિલમાં લઈ જવા પડ્યા હતા.
ઢોળાયેલી મીઠાની રજકણને લઈ લોકો ચામડીના રોગો થતા હોવાની ફરિયાદો કરી રહયા છે.
આ સિલસિલો ઘણાજ સમય થી ચાલી રહ્યો છે અને જવાબદાર વિભાગ સામે આંગળીઓ ચીંધાઈ રહી છે