ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા ભાજપ ના કાર્યકરો ને અધિકારીઓ સાથે દોસ્તી નહિ રાખવા જાહેર મંચ થી અપીલ કરતા અધિકારી વર્ગ માં નારાજગી જોવા મળી હોવાની ચર્ચા છે.
ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અધિકારીઓ સાથે દોસ્તી નહિ રાખવા મોટું નિવેદન આપતા રાજયભરમાં આ વાત ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.
વલસાડ માં ભાજપ ના પ્રશિક્ષણ વર્ગમાં આપી હાજરી આપવા આવેલા ભાજપ પ્રમુખે આ નિવેદન આપ્યું હતું જે ભારે ચર્ચામાં આવી ગયું છે.
વલસાડ માં સી આર પાટીલ ના હસ્તે ભાજપ ના પેજ પ્રમુખ ને કાર્ડ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર, સાંસદ અને ભાજપ ના ધારાસભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન કાર્યકર્તાઓ ને સંબોધન કરતી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિવાદિત નિવેદન કર્યું હતુ અને જણાવ્યુ કે
ભાજપ ના કાર્યકરો એ અધિકારીઓ સાથે દોસ્તી રાખવી જ નહિ અને જો
અધિકારીઓ સાથે દોસ્તી હોય તો તોડી દેજો એમ જણાવતા ઉપસ્થિતો સ્તબ્ધ થઈ ગયા હતા.
સીઆર પાટીલે અધિકારીઓ કરતા પાર્ટી ના પદાધિકારી ને વધારે મહત્વ આપવા કાર્યકર્તાઓ ને સૂચન કર્યું હતું.
આ વાત અધિકારી વર્ગ માં પણ ભારે ચર્ચા નો વિષય બની હતી.