રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારોમાં સૂર્ય નારાયણના દર્શન થઈ શક્યા છે અને વરસાદે વિરામ લીધો છે તેમછતાં મહદ અંશે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 205 તાલુકામાં વરસાદ પડયો છે.
છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં 9 ઈંચ કપરાડા, પારડી અને નવસારીના ખેરગામમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભરૂચ, છોટાઉદેપુર અને અંકલેશ્વરમાં 4.5 ઈંચ,અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
દ. ગુજરાત,કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે અને ડેમમાં નવા નીરની આવક થઈ છે.
મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમાં રાજીપો જોવા મળી રહ્યો છે.