રાજ્ય માં ચોમાસાની સિઝન આવતા જ મોટાભાગ ના રોડ તૂટી જતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે અને રોડ ના કામો માં ભ્રષ્ટાચાર ની બૂ ઉઠતી આવી છે ત્યારે અમદાવાદ ની વાત કરવામાં આવે તો અહીં રોડ રસ્તાના તમામ કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓએ પુરા કરવાના હોય છે. ત્યારે રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં ઈજનેર ખાતાના અધિકારીઓ વિવાદ માં આવી ગયા છે. અહીં રોડ બન્યા બાદ પાંચ દિવસમાં જ તૂટી ગયો હોવા અંગે હોબાળો થયા બાદ ન્યુ મણિનગર વિસ્તારમાં પણ રોડ તૂટી ગયા છે પરિણામે જનતા પરેશાન થઈ ગઈ છે અને આ રોડ પર ‘ધ્યાનથી પસાર થવું, વિકાસ ખાડે ગયો છે’ તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે જે ભારે ચર્ચા નું કેન્દ્ર બન્યા છે, રોડ તૂટી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ જાતે ઉપર ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હોવાછતાં માત્ર પાંચ જ દિવસમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સપાટી ઉપર આવી છે અને લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે.
Wednesday, May 1