સવારથી મતગણતરી સ્થળો પર રાજકીય પક્ષના કાર્યકરોનાં ટોળા આવવાની શરૂઆત થઈ છે અને 9 વાગ્યાથી મતગણતરી સૌ પ્રથમ બેલેટ પેપરની થશે.આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ આજે સવારે વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઇ ચુકી છે. જેમાં 81 નગરપાલિકાઓની 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતોની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 25 જિલ્લાની અને 117 તાલુકાની જ્યારે નગરપાલિકાઓની 95 બેઠકો બિનહરીફ થઇ ચુકી છે. બાકી ની બેઠકો ઉપર યોજાયેલી ચુંટણીઓ ના પરિણામો આજે મોડી સાંજ સુધી માં આવી જશે.
રાજ્યની કુલ 8474 બેઠકો પર 22,200થી વધુ ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે. આ ચૂંટણીમાં BJP, Congress, AAP, BSP અને AIMIM સહિતના પક્ષ મેદાનમાં છે. ત્યારે આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઇ રહી છે.
સવારથી જ મતગણતરીકેન્દ્રો પર કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તકેદારીનાં પગલાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે પહેલાંથી જ તૈયારી કરવામાં આવી હતી. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મતગણતરી શરૂ થઈ છે.
Sunday, May 5