રાધનપુરમાં ભાજપના ગઢમાં બાકોરું પડયું છે અને ભાજપના200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયાના અહેવાલો છે,રાજ્યમાં ચુંટણીઓ પહેલા રાજકારણ માં પક્ષ પલટાની મૌસમ ખીલી છે.
રાજકારણમાં પાર્ટી બદલવાની વાત હવે સામાન્ય થઈ ગઈ છે ત્યારે આ બધા વચ્ચે પાટણના રાધનપુરમાં ભાજપના ગઢમાં બાકોરું પડ્યુ છે અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈની હાજરીમાં 200થી વધુ કાર્યકરોએએ કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.
સાથેજ રાધનપુરના પોરાણા ગામના સરપંચ સહિત 200 ગ્રામજનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
ભાજપના અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાંપણ ગાબડું પડ્યુ હોવાના અહેવાલ છે અને ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના લોકો પણ ભાજપને બાય બાય કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
આમ ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ પુરજોશમાં ખીલી છે અને રાધનપુરમાં ભાજપના ગઢમાં બાકોરું પડતા હવે ભાજપ શુ રણનીતી અપનાવે છે તે જોવું રહ્યું