બિપરજોય વાવાઝોડું હવે કચ્છ નજીક આવી ચૂક્યું છે જે તા.15 જૂને કચ્છના દરિયા કિનારે ત્રાટકવાનું હોય કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા નજીક આવેલ જરોદ સ્થિત બટાલિયન NDRFને સૂચના મળતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 ટિમો રવાના કરવામાં આવી છે.
દરમિયાન આજે NDRFની વધુ પાંચ ટીમો દરિયાકાંઠાના વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. જેમાંથી વડોદરાથી 2 અને ગાંધીનગરથી 3 ટીમોને રવાના કરવામાં આવી છે.
-અત્યાર સુધીમાં NDRFની 18 ટીમો રવાના થઈ છે જેમાં નીચે મુજબના જિલ્લામાં રવાના કરવામાં આવી છે.
-પ્રત્યેક 1 ટીમમાં 25 સદસ્ય હોય છે
-કચ્છમાં 4 ટીમ
-જામનગરમાં 2 ટીમ
-મોરબીમાં 1 ટીમ
-રાજકોટમાં 3 ટીમ
-દેવભૂમિ દ્વારકામાં 3 ટીમ
-પોરબંરમાં 1 ટીમ
-સોમનાથમાં 1 ટીમ
-વલસાડમાં 1 ટીમ
-જુનાગઢમાં 1 ટીમ
-દિવમાં 1 ટીમ મળી કુલ 18 ટીમ વડોદરાથી રવાના થઈ છે.
વડોદરાથી બસમાં નીકળેલી ટીમો પાસે સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો, રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે સજજ છે. વડોદરાથી ગયેલી NDRFની પ્રત્યેક ટીમમાં 25 સદસ્યો હોય છે,જેઓ રેસ્ક્યૂ સામગ્રી સાથે સજ્જ થઈ રવાના થયા હતા.