રાજ્યમાં દરેક સમાજમાં કેટલીક બિન જરૂરી પ્રથાઓ બંધ કરવા સમાજના મોભીઓ નિર્ણય લઈ રહયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસે આવેલા ભલગામડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતી ઘોર પ્રથા અને દાંડિયા રાસ પ્રસંગ હવેથી બંધ કરવા સામુહિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પ્રસંગો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ કારોબારી ટીમે પ્રવાસ દરમિયાન આજે લીંબડી તાલુકાના ભલગામડા ખાતે મુલાકાત લીધી લીધી હતી જ્યાં સમસ્ત ગામે કારોબારી ટીમનુ સાફા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભલગામડા ગામ સમસ્ત દ્વારા લગ્ન પ્રસંગે ઘોર પ્રથા અને દિકરીબા ના લગ્ન પ્રસંગે દાંડિયા રાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
આ પ્રસંગે ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજના પ્રમુખ મહાવીરસિંહ રાણા (લાલીયાદ), પુર્વ નાયબ કલેકટર મહાવીરસિંહ રાણા (વનાળા), ડો. કિરિટસિંહ ઝાલા (તાવી) લખધીરસિંહ ઝાલા (ભલગામડા) અંબાલાલભાઇ (જાખણ) ભલગામડા સરપંચ સુખદેવસિંહ રાણા, નિરુભા તેમજ દિલુભા બાપા, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી નગરપાલિકા ચેરમેન મહેન્દ્રસિંહ ઝાલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.