સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની સ્થિતિને પગલે ગોધરા એસટી ડિવિઝન, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસોના 125 જેટલાં રૂટ બંધ કરાયા છે.
વાવાઝોડાની આગાહી વચ્ચે સાવચેતી ના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
દરમિયાન ત્રણેય જિલ્લાના કુલ સાત એસટી ડેપો અને ગોધરામાં સેન્ટ્રલ બસ સ્ટેશન મળી કુલ 8 જેટલા કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે.
વાવાઝોડાની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી એસટી વ્યવહાર બંધ રાખવા ડિવિઝને નિર્ણય લીધો છે. વાવાઝોડા દરમિયાન જાનમાલ અને નુકસાનીને ટાળવા માટે તકેદારીના ભાગરૂપ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુસાફરોને સૌરાષ્ટ્ર તરફ મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
આ અગાઉ રેલવે દ્વારા પણ 90 ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે, તો 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલવામાં આવ્યા છે. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત ઘણી ટ્રેનને માત્ર રાજકોટ સુધી દોડાવવાની જાહેરાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ કચ્છ આવતી તમામ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.
આમ,સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની સ્થિતિ ધ્યાને લેતા બસ તેમજ ટ્રેન વ્યવહાર રદ કરવામાં આવ્યો છે.