દ્વારકાનો મુખ્ય તહેવાર એટલે જન્માષ્ટમી તૈયારી અંગે મિટિંગ યોજાઇ….
દ્વારકાનો મુખ્ય તહેવાર એટલે જન્માષ્ટમી.આગામી જન્માષ્મી 30 ઓગસ્ટનાં જગત મંદિરમાં કૃષ્ણજન્મ ઉત્સવની તૈયારી નાં અંગે ખાશ મિટિંગ યોજાઇ.
જન્માષ્ટમીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાં કલેકટર નાં અધ્યક્ષ સ્થાને દ્વારકા જગતમંદિર ની દેવસ્થાન ઓફિસમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મિટિંગમાં કલેકટર પંડ્યા દ્વારા અનેક વિભાગ ને સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું. આ મિટિંગ માં યાત્રાળુઓ ને દર્શન માટે તકલીફ ન પડે તે માટે યોગ્ય બેરિકટીંગ્સ અને મંદિર ની સિક્યુરિટી મુખ્ય મુદ્દાઓ હતા. કલેકટર દ્વારા હોટલ તથા રેસ્ટોરન્ટ નાં માલિકો ને યાત્રાળુઓ પાસેથી યોગ્ય ભાડું લેવું તેવું જણાવ્યું હતું. તથા અને યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી બોટ અંગે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ,એસટી અને રેલવે વિભાગ, ફાયર અને આરોગ્ય ના પ્રશ્નો ની પણ ચર્ચાઓ કરવામાં આવી તથા આ કાર્યક્રમ સફળ બને તે માટે કલેકટર દ્વારા જાહેર જનતા તથા અનેક વિભાગને સહયોગ દેવા અપીલ કરી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી , દ્વારકા પી.આઇ. તથા તમામ ખાતાનાં અધિકારીઓ અને પૂજારી પરિવાર સહિત નાં તમામ મહાનુભાવોએ હાજરી આપી હતી.