ગુજરાતમાં કોરોના નો વાયરસ અન્ય રાજ્યોની સરખામણીમાં સતત આગળ વધીરહ્યો છે.ગુજરાતમાં કોરોના વાયરસના વધુ10 કેસો સામે આવ્યા છે અને કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 105 પર પહોંચી ગયો છે. આ અંગે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમ 8 દિવસ માં 44 કેસો અને ત્યારબાદ બીજા 8 દિવસમાં 48 કેસ થયા છે.
તેઓએજણાવ્યું છે કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના હોવાનું માલુમ પડ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. બીજી બાજુ રાજ્યમાં ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક 9 પર પહોચ્યો છે.
આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાવા સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંક 105 પર પહોંચ્યો છે. આજે જે નવા કેસો સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 5, ગાંધીનગરમાં 2, ભાવનગરમાં વધુ 2 કેસ અને પાટણમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો હતો.
બીજી બાજુ ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. આજે નોંધાયેલા તમામ કોરોનાના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદમાં નોંધાયેલા 5 કેસોની વાત કરીએ તો, આંબાવાડી, નવરંગપુરા, જમાલપુરમાં કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગરમાં નોંધાયેલા બંને કેસ માણસાના છે.
હજુપણ કેસની સંખ્યા વધે તેવી શક્યતા આરોગ્ય સચિવે વ્યક્ત કરતા આગામી લોકડાઉન ના સમય અંગે સવાલો ઉઠવા પામ્યા છે અને રાજ્ય માં કોરોના ની ઝડપ અને સંક્રમણ ને જોતા પરિસ્થિતિ ગંભીર હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
