ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા નળી રહ્યો છે. એક પછી એક ભાજપના ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા છે. ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ કોંગ્રેસની મુશ્કેલી વધતી જાય છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસને રામ-રામ કહ્યાં છે. જેમાં મોરબી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. આમ છેલ્લા 24 કલાકમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.
બ્રિજેશ મેરજાના રાજીનામાંની પુષ્ટિ ખુદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાં બાદ પાર્ટી તરફથી ઉભા રાખવામાં આવેલી બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે રાહ સરળ નહી રહે એ ચોક્કસ છે.