વડાપ્રધાન મોદી માતા હિરાબાના આશિર્વાદ લઈને મતદાન કરવા માટે રવાના થયા છે. વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બંને ઉત્તર ગુજરાતની ગાંધીનગર બેઠકના ઉમેદવારો છે. વડાપ્રધાન મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાત અને અમિત શાહ નારણપુરાની સબઝોનલ કચેરી ખાતે મતદાન કરશે. વડાપ્રધાન મોદીને માતા હિરાબાએ આશિર્વાદ તરીકે પાવાગઢની ચુંદડી ભેટમાં આપી હતી. પીએમ ત્યાંથી રોકાણ કરી અને રાણીપની નિશાન સ્કુલે આવેલા મતદાન મથકે પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં મતદારો તેમની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યાં હતા. પીએમ મોદી સાથે મતદાન મથકે અમિત શાહ પણ હાજર હતા. પીએમ મોદીએ મતદાન મથકે અમિત શાબની પૌત્રીને તેડી અને વિક્ટરીની સાઇન દર્શાવી હતી.
સવારે મતદાન કરતા પહેલાં પીએમ મોદીએ ટ્વીટ કર્યુ હતું કે આજે ત્રીજા તબક્કાનું મતાદન છે, તેમાં મોટી સંખ્યામાં નીકળી અને મતદાન કરજો અને લોકશાહની મજબૂત બનાવજ. પીએમ મોદી માતાના આશિર્વાદ લઈને મતદાન કરશે. પીએમના મતદાનને લઈને પોલીસ બંદોબસ્ત પુરતો છે