ગુજરાત શિક્ષણ વિભાગે રાજયની સ્વનિર્ભર શાળાઓ બંધ થઇ ત્યારથી પુન: વાસ્તવિક શરૂ થાય, તે સમયગાળા સુધી કોઇપણ પ્રકારની ટયુશન ફી વસૂલ કરી શકાશે નહી તેવા 16મી જુલાઇએ બહાર પાડેલા પરિપત્રના શાળા સંચાલક મંડળોમાં ભારે પ્રત્યાઘાત પડયા છે. આ અંગે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે જો રાજયની સ્વનિર્ભર શાળાઓ પોતાને ત્યાં કામ કરતાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરે અને આ બેકાર થયેલા યુવાનો રાજય સરકારની સામે યુધ્ધે ચડે તે પહેલાં અમારી રજૂઆતને ખૂબ જ ગંભીરતાથી લઇને યોગ્ય અને પરિપક્વ નિર્ણય જાહેર કરવા રાજયના મુખ્યમંત્રીને વિનંતી કરી છે. તેની સાથે શાળાના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર ચુકવવા માટે લોનની વ્યવસ્થા કરી આપવા અને આ લોનની રકમ શાળાઓ સરપ્લસ થશે ત્યારે ચુકવશે તેમ જણાવ્યું છે.
ગુજરાત ચેરીટી કમિશ્નર કચેરી પાસે રાજયની સાર્વજનિક સંસ્થાઓ પાસેથી દર વર્ષે એકત્ર કરવામાં આવતી 02 ટકા વહીવટી ચાર્જની રકમ ભંડોળ સ્વરૂપે વણવપરાયેલી પડેલી છે તો તેને રાજયના સાર્વજનિક ટ્રસ્ટોને લોન આપવામાં લઇ શકાય.