અમદાવાદ,એક તરફ રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે ખાનગી કરણ વધી રહ્યુ છે..જેના પગલે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે બીજી તરફ સરકારી ગ્રાન્ટ મેળવતી કોલેજોની લાલીયાવાડી સામે આવી છે.જેના પગલે નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશન દ્વારા રાજ્યની ત્રણ કોલેજોની મંજુરી રદ કરી છે.
એક તરફ રાજ્યમાં શિક્ષકોની અછત છે. ત્યારે બીજી તરફ બી.એડ કોલેજોની લાલીયાવાડી સામે આવી છે.હાલમાં જ મળેલી NCTE (નેશનલ કાઉન્સીલ ફોર ટીચર્સ એજ્યુકેશનની બેઠકમાં રાજ્યની ત્રણ બી.એડ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે.જેમાં પેટલાદની એસ.આઇ પટેલ બી.એડ કોલેજ, પાટણની જી.એચ.પટેલ બી.એડ કોલેજ અને ભાવનગગરની જી.એચ સંઘવી બી.એડ કોલેજનો સમાવેશ થાય છે.
અગાઉ આ કોલેજ વિરૂધ્ધ અરજી કરવામાં આવી હતી કે આ કોલેજના સંચાલકો ને કોલેજ ચલાવવામાં કોઇ રસ નથી અને કોલેજમાં ફેકલ્ટી પણ નથી.એટલુ જ નહીં કોલેજના સંચલાકો દ્વારા વિદ્યાર્થીઓને કોઇ જ પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવતો નથી, અને માત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને માર્કશીટ આપી દેવામાં આવે છે.જેના પગલે ગત 15-16 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મળેલી NCTEની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ ત્રણેય કોલેજની માન્યતા રદ કરવામાં આવે.એટલુ જ નહીં NCTE દ્વારા આ અંગે તાત્કાલીક સ્થાનીક યુનિર્વસીટીના અધીકારીઓને પણ આ અંગે નોટીસ આપીને આગામી શૈક્ષણિક વર્ષ 2018-19થી કોલેજની માન્યતા રદ કરે.