કોરોના કાળમાં કપરા સમયમાં કોરોના સામે લડવા માટે શરૂરની ઇમ્યુનિટી વધારવા માટે લોકો અનેક ઘરેલું નુશ્ખા અપવાની રહ્યા છે ત્યારે જાયફળ પણ શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે મદદ રૂપ છે. જાયફળ તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. જાયફળ ઈન્ડોનેશિયાનું ફળ છે, તેને મિરિસ્ટિકા ફ્રેગરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝાડ દક્ષિણ ભારતમાં પણ ઉગાડવામાં આવે છે અને તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જાયફળનું સેવન કરવાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે અને સેક્સ પાવર પણ વધે છે. અહીં જાયફળના અનેક ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એક કપ ગરમ દૂધમાં અડધી ચમચી ખાંડ, પિસેલી ઈલાયચી અને 2 ચપટી જાયફળ પાઉડર ઉમેરો. આ જાયફળવાળા દૂધનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને ઊંઘ પણ સારી આવે છે.
સેક્સ ડ્રાઈવને યોગ્ય બનાવે છે
જાયફળ પાચન એન્ઝાઈમના સ્ત્રાવમાં વધારો કરે છે અને તેમાં રહેલ ફાઈબર પેટની સમસ્યા દૂર કરે છે. જાયફળનું સેવન કરવાથી સેક્સ ડ્રાઈવ પણ યોગ્ય રહે છે અને લિબિડો વધે છે જે ફર્ટિલિટીમાં સહાય કરે છે.
દાંતના દુખાવાથી રાહત
જાયફળનું સેવન કરવાથી દાંતનો દુખાવો પણ દૂર થાય છે. ઉકાળામાં જાયફળ અને મધ ઉમેરીને તેનું સેવન કરવાથી દાંત અને પેઢાની સમસ્યાથી રાહત મળે છે.
બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે
જાયફળ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખે છે. જાયફળમાં સાબિનિન. ટેરપિનોલ અને પિનીન શામેલ છે જે શરીરમાં જૂનો સોજો, હ્રદય સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ અને ગઠિયાથી પણ રાહત પ્રદાન કરે છે.
અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે
જે લોકોને રાતે યોગ્ય ઊંઘ નથી આવતી અથવા જેને અનિંદ્રાની સમસ્યા છે, તેમણે નિયમિતરૂપે થોડી માત્રામાં જાયફળનું સેવન કરવું જોઈએ. સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચપટી જાયફળ પાઉડર ઉમેરીને તેનું સેવન કરો, જેથી તમારી અનિંદ્રાની સમસ્યા દૂર થશે.
સાંધાના દુખાવાથી રાહત મળે છે
જાયફળ સાંધાના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. જાયફળનું સેવન કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે અને પાચન યોગ્ય રીતે થાય છે.