કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં ફાટી નીકળેલા તોફાનો મામલે રાજ્યપાલ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રામ નવમી ઉપર બિહારના ઘણા ભાગોમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળતા કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે વાત કરી હતી. આ દરમિયાન શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. એવું કહેવાય છે કે ગૃહ મંત્રાલયે બિહારમાં વધારાના અર્ધલશ્કરી દળો મોકલવાનો નિર્ણય લીધો છે. બિહાર સરકારે પણ આ માટે વિનંતી કરી હતી.