નવી દિલ્લી: કોરોના કહેર સામે સરકારે રસીકરણનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે રસી ન મળવાની ઠેક ઠેકાણે ફરિયાદો ઊભી થઈ રહી છે. ત્યારે દરેક વ્યક્તિને રસી પહોંચે તે માટે રસકાર યોજનાઓ બનાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે માહિતી મળી રહી છે કે, કેન્દ્ર સરકાર હવે રોજ એક કરોડ લોકોને વેક્સિન લગાવવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી જીલાઈના બીજા અથવા ત્રીજા મહિનામાં આ સંભવ છે. આ યોજનાનો અમલ કરવા માટે સરકારે દર મહિને 30 થી 32 કરોડ વેક્સિનના પ્રોડક્શન પર ધ્યાન આપી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી મહિનાઓમાં સરકારને કોવિશિલ્ડ અને કોવેક્સિનના 25 કરોડ ડોઝ મળી શકે છે. આ સિવાય સરકાર સ્પુટનિક વી અને અન્ય રસી ઉપર પણ નજર રાખી રહી છે. એવી અપેક્ષા છે કે, આગામી સમયમાં સરકાર વધુ કેટલાક વિદેશી રસીઓને પણ ગ્રીન સિગ્નલ આપી શકે છે. દરેક રસી કેન્દ્રમાં દરરોજ 100 થી 150 લોકો રસી લેવાની યોજના છે.
મહત્વનું છે કે, હાલમાં છ કોવિડ-19 રસીઓ છે – સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવાક્સ, બાયોલોજિકલ ઇ કોર્બેવેક્સ, ઝાયડસ કેડિલાની ઝીંકોવ-ડી, જેનોવાની એમઆરએનએ રસી, જહોનસન અને જહોનસન રસીનું બાયો-ઇ વેરિએન્ટ. આ વર્ષે દેશમાં એમઆરએનએ રસી લાવવા માટે સરકાર ફાઈઝર સાથે વાતચીત કરી રહી છે.
ભારતીય વૈજ્ઞાનિકો બે અલગ અલગ રસીના મિશ્રણથી કોરોનાને મારવામાં વધુ અસરકારક સાબિત થઈ તેવી શોધ કરી રહ્યા છે. ભારતમાં જલ્દીથી ટેસ્ટ કરવામાં આવશે. આ પ્રયોગમાં હાલમાં ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ રસીનો સમાવેશ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ થાય છે, તો પછી બે જુદી જુદી કંપનીઓના ડોઝ લોકોને આપી શકાય છે.
આગામી સમયમાં, કોવિશિલ્ડ રસી એક જ ડોઝ તરીકે રાખવી જોઈએ. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, શું એક ડોઝ વાયરસ સામે લડવામાં અસરકારક છે કે, નહીં. જોનસન અને જોનસન, સ્પુટનિક લાઇટ અને કોવિશિલ્ડ રસીઓ સમાન પ્રક્રિયામાંથી બનાવવામાં આવે છે. જહોનસન અને જહોનસન અને સ્પુટનિક લાઇટ માત્ર એક ડોઝની રસી છે.