Vastu Tips: સમૃદ્ધિ અને શાંતિ માટે ઊંઘવાની યોગ્ય દિશા

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
3 Min Read

Vastu Tips: સારી ઊંઘ માટે યોગ્ય દિશાનું મહત્વ

Vastu Tips: સારી તંદુરસ્તી, સમૃદ્ધિ અને ધનલાભ માટે કઈ દિશામાં ઊંઘવું શ્રેષ્ઠ ગણાય છે, આવો તેને લગતા વાસ્તુ નિયમોને વિગતે જાણી લઈએ. ઊંઘતી વખતે પણ વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ અગત્યનું હોય છે.

Vastu Tips: હિન્દુ ધર્મમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઊંઘતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન ન રાખવામાં આવે, તો તેના અનેક નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. તો બીજી તરફ, માનસિક શાંતિ, ધન-સમૃદ્ધિ અને સારું આરોગ્ય મેળવવા માટે ઊંઘતી વખતે દિશા અંગે વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ દ્વારા તમે જીવનની ઘણી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.

ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરૂમ અને ઊંઘવાની દિશા અંગે કયા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે.

Vastu Tips

દક્ષિણ દિશામાં માથું રાખીને ઊંઘવું શ્રેષ્ઠ માનવામાં આવે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ દિશામાં માથું રાખીને ઊંઘવું શ્રેષ્ઠ ગણાય છે. વાસ્તુ વિદોનું માનવું છે કે આ દિશામાં માથું રાખીને ઊંઘવાથી માનસિક શાંતિ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. વ્યક્તિ દીર્ઘાયુ બને છે અને તેના ધનલાભ તથા સમૃદ્ધિમાં વધારો થાય છે.

તે જ રીતે, પૂર્વ દિશામાં માથું રાખીને ઊંઘવાથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્વાનોને વિશેષ લાભ થાય છે. એકાગ્રતા વધે છે અને સ્મરણશક્તિ પણ સમય જતાં સારી બનતી જાય છે. જીવનમાં સકારાત્મકતા આવે છે.

ઉત્તર દિશામાં ઊંઘવું જોઈએ કે નહીં?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં માથું રાખીને ઊંઘવું શરીરના ચુંબકીય પ્રવાહના વિરુદ્ધ માનવામાં આવે છે. જેના કારણે ઊંઘમાં અવરોધ આવે છે અને ઊંઘ દરમિયાન બેચેની અનુભવી શકાય છે. હા, જો ઊંઘવા માટે બીજું કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોય, તો ઉત્તર દિશામાં માથું રાખીને ઊંઘવું ચાલે છે. તેનાથી થોડી સ્થિરતા પ્રાપ્ત થાય છે અને મનોબળ જળવાય રહે છે.

પલંગ હંમેશા દિવાલ સાથે લગાડીને રાખવો જોઈએ અને પલંગના નીચેનું સ્થાન ખાલી ન રહે તેવું ધ્યાન રાખવું. પલંગના માથા પાસે કોઈ ભારે વસ્તુ કે કબાટ રાખવી નહીં. સૂતા સમયે માથાની પાછળ દિવાલ હોવી જોઈએ. તકીયા અને ચાદર સ્વચ્છ હોવા જોઈએ અને જો તેઓ હળવા રંગના હોય તો વધુ ઉત્તમ ગણાય છે.

Vastu Tips

ખોટી દિશામાં ઊંઘવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે

આપણે જીવનનો મોટાભાગનો સમય બેડરૂમમાં વિતાવીએ છીએ. આ કારણે સારું સ્વાસ્થ્ય અને માનસિક ઊર્જા માટે બેડરૂમનું વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. જો બેડરૂમના વાસ્તુ પર ધ્યાન ન આપવામાં આવે, તો અનિદ્રા, ચીડિયાપણું સ્વભાવ, ખરાબ સપનાઓ અને ધનહાનિ જેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

પ્રાચીન ગ્રંથોમાં ઊંઘવા સંબંધિત અનેક નિયમોનો ઉલ્લેખ મળતો હોય છે. આ મુજબ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં માથું રાખીને ઊંઘવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશાઓમાં ઊંઘવાથી બુદ્ધિ ભ્રમિત થાય છે અને માનસિક અસ્થિરતા વધી શકે છે.

TAGGED:
Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.