મહેસાણામાં ભારે ચકચાર જગાવનાર દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ પ્રકરણમાં મહેસાણા ચીફ કોર્ટે વિપુલ ચૌધરી સહિતનાઆરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
જ્યારે કૌભાંડ કેસમાં કર્મચારીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
મહત્વનું છે કે ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરીએ 2013માં 22.50 કરોડનું સાગર દાણ મહારાષ્ટ્ર મોકલ્યું હતું.
જે બાદ કુલ 22 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે.
સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 કર્મચારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થાય છે.
વિપુલ ચૌધરી રાજપાની સરકારમાં ગૃહમંત્રી હતા અને ત્યારબાદ વિપુલ ચૌધરી ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા.
વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.