મોરબી જિલ્લાની આંગણવાડીની ૨૧ મુખ્ય સેવિકાની બદલી સામે વિરોધ જોવા મળી રહ્યો છે વર્ષોથી એક જગ્યાએ ફરજ બજાવતી મુખ્ય સેવિકા માં ઘણી સેવિકાઓ તો નિવૃત્તિના આરે પહોંચી ગઈ છે ત્યારે નવી જગ્યાએ મૂકવામાં આવતા કામગીરીમાં વિપરીત અસર થવાની ફરિયાદ સાથે મુખ્ય સેવિકાઓએ ડીડીઓને રજૂઆત કરી હતી.
મોરબી જિલ્લા પંચાયતના આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતી ૨૧ મુખ્ય સેવિકાઓની ડીડીઓએ બદલી કરી નાખી છે જોકે આ ૨૧ મુખ્ય સેવિકાઓ ૧૦ વર્ષથી એક ને એક જગ્યાએ ફરજ બજાવતી હોવાથી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે.આ બદલીથી મુખ્ય સેવિકા મા ઘેરો રોષ વ્યાપી ગયો છે. ડીડીઓને આ સેવિકાઓએ રજૂઆત કરી હતી કે વર્ષોથી એકની એક જગ્યાએ ફરજ બજાવીએ છીએ અમે ઘણા નિવૃત્તિના આરે પહોંચ્યા છીએ. તો અમુકને પ્રમોશન મળે એમ છે આ વખતે બદલી થતા નવી જગ્યાએ કામગીરીમાં મુશ્કેલી અને વિપરીત અસર પડશે તેથી મૂળ જગ્યાએ રાખવાની માંગ કરી છે.
માળીયાની ૯૩ આંગણવાડી બહેનોએ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોર ચીખલીયાને રજૂઆત કરી હતી કે અમારા મુખ્ય સેવિકા નું સંકલન ખૂબ જ સારું અને વ્યવસ્થિત હતું.તેથી તેમની બદલી ન થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.બદલી અંગે ડીડીઓ એસ.એમ. ખટાણા એ જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે દસ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા હોય તેમની તાલુકા બહાર બદલી કરાઈ છે જેમની ફરજ દસ વર્ષથી ઓછી વય એમની બદલી તાલુકામાં જ કરવામાં આવી છે જોકે છ મહિના પહેલા મુખ્ય સેવિકાઓને જગ્યા પસંદ કરવા જણાવ્યું હતું પરંતુ તે વખતે એક પણ મુખ્ય સેવિકા એ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો તેથી હવે બદલીના હુકમ આપાઇ ગયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે માળિયાના આંગણવાડીની બહેનોને રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમની આંગણવાડીમાં ઉપરથી દોઢ વર્ષથી સીંગતેલ આવતું નથી ઉપરાંત આધારકાર્ડ વગર બાળકોને ભોજન ન આપવાનો પરીપત્ર સૂચવ્યો છે જોકે બાળકોની આધારકાર્ડ માટેની જરૂરી પ્રોસિજર કરાઈ છે પરંતુ હજી આધારકાર્ડ મળ્યા નથી તેથી શું અમારે બાળકોને ભૂખ રાખવા વગેરે પ્રશ્નો જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સમક્ષ કર્યા હતા. ત્યારે કારોબારી ચેરમેને આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવા અને આ અંગે ડીડીઓનું ધ્યાન દોરવાનું જણાવ્યું હતું