રાહુલ ગાંધીએ ગુરૂવારના રોજ ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે મોસુલમાં ભારતીયોની હત્યાથી લોકોનું ધ્યાન હટાવવા રવિ શંકર પ્રસાદ ધડ-માથા વિનાની વાતો કરી રહ્યા છે.કેમ્બ્રિજ એનાલિટિકા ફેસબુક ડેટા ચોરી મામલે બીજેપી દ્વારા કોંગ્રેસને આડે હાથ લેતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધા છે.
રાહુલે પોતાની ટ્વીટમાં લખ્યું સમસ્યા: 39 ભારતીયોના મોત; સરકાર બેકફુટ પર, ખોટુ બોલતા પકડાઇ ગઇ સમધાન: કોંગ્રેસ અને ડેટા ચોરીને લઇને વાતો ફેલાવો પરિણામ: મીડિયા નેટવર્ક્સની વચ્ચે બાઇટની હોડ, 39 ભારતીયો રડારથી ગાયબ સમસ્યા હલ થઇ ગઇ.