પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના 92 ધારાસભ્યો ચૂંટણી જીતી છે. આમ આદમી પાર્ટી પર ચૂંટણી દરમિયાન આપેલા વાયદા પૂરા કરવા માટે પણ દબાણ છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ચેતવણી આપી છે કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્ય કોઈ ગેરરીતિમાં સંડોવાયેલા જોવા મળશે તો તેને જેલમાં જવું પડશે.
પંજાબમાં જોરદાર જીત બાદ કેજરીવાલ અને ભાવિ સીએમ ભગવંત માને રોડ શો કરીને પંજાબની જનતાનો આભાર માન્યો હતો. પંજાબની જનતાને આપેલા વચનો અંગે કેજરીવાલે કહ્યું કે “કેટલાક વચનો અમે તરત જ પૂરા કરીશું, પરંતુ કેટલાક વચનો પૂરા થવામાં સમય લાગી શકે છે.”