રાજકોટના ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશભાઈના લગ્ન હોય તા.12 થી તા.14 દરમિયાન લગ્નોત્સવ રાખવામાં આવ્યો છે જેમાં ગતરોજ સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હેલીકોપ્ટર દ્વારા ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્યના નિવાસસ્થાન ‘ગીતાવિલા’ ખાતે જઈ વરરાજા ગણેશભાઈને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગણેશ ભાઈને લગ્નની શુભેચ્છા પાઠવ્યા બાદ ગાંધીનગર પરત ફર્યા હતા.
Tuesday, April 30