ગોંડલમાં શ્રી ખોડિયાર માતાજી અને શ્રી મેલડી માતાજીના આંગણે સોમવારે ભવ્ય પાટોત્સવ ઉજવાશે જેમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગોંડલમાં શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મેલડી માતાજી મંદિરના આંગણે
પ્રથમ વાર્ષિક પાટોત્સવનું આયોજન આવતીકાલે સોમવાર તા. 13/02/2023ના રોજ હોય સૌ ભાવિકોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સાંજે 7 કલાકે મહાપ્રસાદ લેવા સર્વે ભક્તોને જેતપુર રોડ, સાંઢીયા પુલ પાસે વૃંદાવન-3માં આવેલ આઇ માં ચેરીટેબલ ટ્રસ્ટ – ગોંડલ ખોડીયાર મંદિરે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ તકે યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી મિલન અદા પંડ્યા બિરાજી સંપૂર્ણ ધાર્મિક વિધી દ્વારા યજ્ઞ મહોત્સવ સંપન્ન કરાવશે. દાંડિયા રાસ તા. 12/02/2023 રવિવાર રાત્રે 9 કલાકે, સંતવાણી તા. 13/02/2023 સોમવાર રાત્રે 9 કલાકે મનસુખભાઇ વસોયા, શ્રુતિ પટેલ, મહેશભાઇ ભગત, સેજલબેન ગોંડલીયાના સ્વરોમાં રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ માં અતિથિ વિષેશ જયેશભાઇ રાદડીયા (ધારાસભ્ય) પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક, ગીતાબા જયરાજસિંહ જાડેજા, ગોરધનભાઇ ધામેલીયા (પ્રમુખ રાજકોટ ડેરી), ડૉ. ભરતભાઇ બોઘરા સહિતના મહાનુભાવો હાજર રહેશે.